વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – [૨] – शिष्यस्तेहम शाधि माम त्वं प्रपन्नम

    પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ,
    જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
    ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

    હરેશ ધોળકિયા

    બીજા અધ્યાયનો આ સાતમો શ્લોક છે. તેમાં અર્જુન કૃષ્ણને કહે છે કે, “ હું કાયર થઇ ગયો છું અને મૂઢ થઇ ગયો છું. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. એટલે હું તમારો શિષ્ય બનું છું અને મને ઉપદેશ આપો.”

             કેટલીક વાર જીવનમાં એવા પ્રસંગો આવે છે કે વ્યક્તિને સમજ નથી પડતી કે તેણે  શું કરવું. એવી પરિસ્થિતિ હોય છે કે તે નિર્ણય જ નથી લઇ શકતી  અને કાયરતા અથવા લાચારી અનુભવે છે. જે અહંકારીઓ  હોય છે તેઓ કોઈની સલાહ નથી લેતા અને મનમાંને મનમાં હેરાન થયા કરે છે, પણ જેઓ સ્વસ્થ અને વિચારક છે, તેઓ કોઈ બીજી સ્વસ્થ વ્યક્તિની સેવા લે છે અને પોતાની સમસ્યાનો ઉકેલ લાવે છે.

    નિર્ણય ન લઇ શકવો કે મૂંઝાવું એ દુર્ઘટના નથી. ક્યારેક એવું બની શકે છે. પણ ત્યારે મનમાંને મનમાં દુખી કે હેરાન થવા બદલે બીજા ડાહ્યા માણસની સલાહ લેવી જોઈએ. અર્જુને પણ એમ જ કર્યું. તે સમજી શકતો ન હતો કે તેણે પોતાના સગાઓ સામે લડવું કે નહિ. એટલે તે કૃષ્ણ સામે કબૂલ કરે છે કે પોતે મૂંઝાઈ ગયો છે અને તેમને શરણે આવે છે અને શિષ્ય ભાવે માર્ગદર્શન માગે છે.

    ગાંધીજી જયારે આફ્રિકામાં હતા અને ધર્મને સમજવા ઇચ્છતા હતા અને તેમને કેટલાક સવાલોના જવાબ નહોતા મળતા, ત્યારે તેમણે  એક મોટા વિચારક અને ડાહ્યા માણસ એવા શ્રીમદ રાજચંદ્રજીને પુષ્કળ સવાલો પૂછ્યા અને સંતોષકારક જવાબો મેળવ્યા. તેમણે  એમ ન વિચાર્યું કે પોતે તો મોટા વકીલ છે એટલે એક વેપારીને કેમ પૂછી શકે ! ના, તેઓ સમજતા હતા કે શ્રીમદ રાજ ચંદ્રજી ડહાપણયુક્ત જ્ઞાની છે. તેઓ સાચા જવાબો આપી શકશે. એટલે શિષ્ય ભાવે તેમના પાસે ગયા અને જરૂરી જ્ઞાન મેળવ્યું.

    વ્યક્તિ જેટલી નમ્ર બનશે અને જ્ઞાની પાસે જઈ  જ્ઞાન મેળવવા પ્રયાસ કરશે, તો તે વધારે  ઝડપી સ્વસ્થ બનશે.  શિષ્યભાવ જ્ઞાન મેળવવા માટે ઉત્તમ માનસિક સ્થિતિ છે.


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • આખરે આપણી નાગરિકતા પુરવાર શાનાથી થાય છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે એવા શબ્દોથી શરૂ થતાં પ્રતિજ્ઞાપત્રનું વાચન તો આપણે પ્રાથમિક શાળાઓથી કરાવીએ છીએ. પરંતુ ભારતીય કે ભારતનો નાગરિક કોણ અને કોઈ દેશની નાગરિકતા કઈ રીતે મેળવાય તથા તેના નિયમો શું છે તે વિષે બહુ ઓછું જાણીએ છીએ. હાલમાં નાગરિકતાનો સવાલ ચર્ચામાં છે.પહેલા સર્વોચ્ચ અદાલતે આધારકાર્ડને નાગરિકતાનો પુરાવો માનવા ઈન્કાર કર્યો. હવે ભારત સરકાર પાસપોર્ટને ટ્રાવેલ ડોક્યુમેન્ટ ગણાવે છે અને તેનાથી કોઈની નાગરિકતા પુરવાર થતી નથી તેવી સ્પષ્ટતા કરે છે. તો પછી નાગરિકતા પુરવાર થાય છે શાનાથી? એવા ક્યા આધાર,પુરાવા,પ્રમાણ છે કે જે નાગરિકતા પુરવાર કરે?

    વ્યક્તિ અને સાર્વભૌમ રાજ્ય વચ્ચેનો કાનૂની સંબંધ એટલે નાગરિકતા. જેના દ્વારા વ્યક્તિને દેશની પૂર્ણ સદસ્યતા મળે છે. નાગરિકતા વ્યક્તિને તે દેશના રાજકીય, કાયદાકીય અને સામાજિક અધિકારો આપે છે. નાગરિકતા ઓળખ, અધિકાર અને ફરજ સાથે જોડાયેલી છે. ભારતમાં નાગરિકતાનો સવાલ આજકાલ બેહદ સંવેદનશીલ, ગંભીર અને મહત્વનો મુદ્દો છે. પાસપોર્ટ, આધારકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વીમાના કાગળો, જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનો દાખલો, ઘર કે જમીનની માલિકીના દસ્તાવેજો, ડોમિસાઈલ સર્ટિ-  એવા સઘળા પુરાવા આપણી નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે.

    આખી દુનિયામાં નાગરિકતા નક્કી કરવા માટે બે લેટિન શબ્દો જૂસ સૈંગ્યુનિસ અને જૂસ સોલીનો ઉપયોગ થાય છે. એટલે વંશ કે રક્ત સંબંધના આધારે નાગરિકતા અને દેશની ભૂમિ પર જન્મના આધારે નાગરિકતા.જન્મ અને વંશ ઉપરાંત રજિસ્ટ્રેશન અને નેચરલાઈઝેશનથી સિટિઝનશિપ મેળવી શકાય છે. સંવિધાન મુજબ નાગરિકતા કેન્દ્ર યાદીનો વિષય છે એટલે તેને લગતા કાયદા  ઘડવાનો અધિકાર માત્ર અને માત્ર  કેન્દ્ર સરકારને છે. નાગરિકતા સંબંધી કામગીરી ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તક છે. ભારતીય બંધારણના ભાગ-૨, અનુચ્છેદ ૫ થી ૧૧ અને સિટિઝનશિપ એક્ટ, ૧૯૫૫ અને તેમાં થયેલા સુધારાઓની  જોગવાઈઓ મુજબ ભારતમાં નાગરિકતા નક્કી કરવામાં આવે છે.

    બંધારણનો આર્ટિકલ ૫ બંધારણના અમલથી નાગરિકતા અંગે છે. તેમાં જણાવ્યું છે કે બંધારણ અમલમાં આવ્યું તે સમયથી ભારતમાં જન્મેલ વ્યક્તિ, જેના માતા કે પિતા ભારતમાં જન્મેલા હોય અને જે બંધારણના અમલના પાંચ વરસ પહેલાંથી ભારતમાં રહેતાં હોય તેને આપોઆપ ભારતની નાગરિકતા મળે છે. પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈ અનુચ્છેદ-૬માં  છે. ૧૯ જુલાઈ ૧૯૪૮ પહેલાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો ભારતના નાગરિક છે. ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી ભારતમાં આવેલા લોકોએ નાગરિકતા મેળવવા ઓછામાં ઓછા છ મહિના ભારતમાં રહીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બંને પ્રકારે નાગરિકતા મેળવતાં લોકોના માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની .પૈકી કોઈ એક ભારતમાં રહેતા હોવાં જોઈએ. વિભાજન પછી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા અને પછી ભારત પરત આવેલા લોકોની નાગરિકતા અનુચ્છેદ ૭ થી નક્કી થાય છે. કોઈ વ્યક્તિ પહેલી માર્ચ ૧૯૪૭ પછી પાકિસ્તાન જતો રહ્યો હોય અને થોડા સમય બાદ ભારત પરત આવે તો તેને અનુચ્છેદ ૬ પ્રમાણે ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈઓ લાગુ પાડીને નાગરિકતાનો નિર્ણય કરવામાં આવે છે.

    અનુચ્છેદ ૮ પ્રમાણે વિદેશમાં જન્મેલ કોઈ પણ બાળકના માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની ભારતના નાગરિક હોય તો તેને ભારતની નાગરિકતા મળી શકે છે. કોઈ ભારતનો નાગરિક બીજા દેશની નાગરિકતા મેળવે તો અનુચ્છેદ ૯ પ્રમાણે તેની ભારતની નાગરિકતા સમાપ્ત થાય છે. આર્ટિકલ ૧૦ માં અનુચ્છેદ ૫ થી ૯ પ્રમાણે જે ભારતનો નાગરિક છે તો તેને સંસદના નાગરિકતા અંગેના કાયદા મુજબ તેની નાગરિકતા કાયમી રહેશે. અનુછેદ ૧૧માં ભારતની સંસદને નાગરિકતા આપવા કે લેવા સંબંધના કાયદા ઘડવાની સત્તા આપતી જોગવાઈ છે.

    બંધારણના આર્ટિકલ ૧૧ની જોગવાઈઓને આધીન નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ ઘડવામાં આવ્યો છે અને તેમાં સુધારા પણ થતા રહ્યા છે. ૧૯૮૬, ૨૦૦૩ અને ૨૦૧૯માં તેમાં મહત્વના સુધારા થયા છે. ૨૦૧૯માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ભારતમાં આવી વસેલા હિંદુ, શિખ, જૈન, બૌધ્ધ, ખ્રિસ્તી અને પારસીને ભારતની નાગરિકતા આપવાનો મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાથી આ ત્રણ દેશોની ધાર્મિક લઘુમતીઓને ભારતની નાગરિકતા મળી શકશે.

    પાસપોર્ટને દેશના મોટાભાગના લોકો નાગરિકતાનું સૌથી મોટું, વિશ્વસનીય અને આધારભૂત પ્રમાણ માને છે. પરંતુ પાસપોર્ટ ૧૯૬૭ના પાસપોર્ટ એક્ટથી આપવામાં આવે છે જ્યારે નાગરિકતા ૧૯૫૫ના કાયદાથી મળે છે. એટલે નાગરિકતાનો એકમાત્ર પુરાવો પાસપોર્ટ ન હોઈ શકે. દેશના બહુ અલ્પ હિસ્સા પાસે પાસપોર્ટ છે ૨૦૨૩ સુધીમાં ૮.૮ કરોડ  અને ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૯.૩ કરોડ લોકો પાસે પાસપોર્ટ હતા. તેથી કુલ વસ્તીના ૬ થી ૭ ટકા પાસે જ જેનો પુરાવો હોય તે પાસપોર્ટ નાગરિકતાનો એકમાત્ર પુરાવો ન હોઈ શકે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    જન્મના આધારે નાગરિકતા મેળવતો વર્ગ આપણા દેશમાં બહુ મોટો છે. પરંતુ સંસદના વર્ષાસત્રમાં પસાર થયેલ જન્મ-મરણ નોંધણી સુધારા કાયદાની ચર્ચાઓ મુજબ હજુ ય દેશની ૮ થી ૧૦ ટકા  વસ્તી જન્મ નોંધણી કરાવતી નથી. વળી જેમને જન્મના આધારે નાગરિકતા મળી છે તેમાંથી અડધા લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર નથી કે હાથવગું નથી. આધારકાર્ડને સરકારી સબસિડી વિતરણ માટેની ઓળખનું કાર્ડ ગણવામાં આવે છે. પાનકાર્ડ કરદાતાનું ઓળખપત્ર છે. એટલે આ પુરાવા નાગરિકતા માટે બહુ ખપના નથી કે સહાયક આધારો છે.

    શું કોઈ પણ દેશની નાગરિકતા હોવી કે લેવી અનિવાર્ય છે? એવો સવાલ થઈ શકે છે. તેના જવાબમાં નાગરિકતાવિહીન લોકોની દશા વિચારી લેવી જોઈએ. મ્યાંમારના લાખો રોહિંગ્યા મુસ્લિમો, કુર્દ અને પેલેસ્ટાઈનીઓ તરત સાંભરે છે. આઈવરી કોસ્ટના ૬.૯૨ લાખ લોકો, લાતિવિયાના ૨.૨૫ લાખ રશિયન આદિવાસીઓ, કુવૈતમાં વસતા ૯૨ હજાર લોકો, નેપાળ, થાઈલેન્ડ, વેનેજુએલા, સિરીયા અને બીજા એવા કેટલાક દેશોના કે તે દેશોમાં આવી શરણાર્થી તરીકે રહેતા લોકોની સ્થિતિ નાગરિકતાના અભાવે નહીં ઘરના નહીં ઘાટના જેવી અમાનવીય છે. ભારતમાં વસતા તિબેટી શરણાર્થીઓ પણ ભારતના નાગરિકો નથી.

    વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રમાણે તો કોઈ રાષ્ટ્રના સીમાડા અને નાગરિકતા હોવી જ ન જોઈએ એમ કહેવા પ્રેરે છે. પરંતુ હાલમાં તો એ શક્ય નથી. બીજી તરફ ભારતમાં નાગરિકતાનો પુરાવો આપવો જાણે કે દુર્લભ લાગે છે. કેમ કે રાજ્ય પોતે જ  તેના દસ્તાવેજોને પ્રમાણભૂત માનતું નથી. લોકોને જે નાગરિકતા માટેનો પુરાવો લાગે છે તેવા પ્રમાણપત્રો કે દસ્તાવેજોની વિશ્વસનીયતા ખુદ રાજ્યે જ ખતમ કરી નાંખી છે. એ સ્થિતિમાં કોઈ એક આધારથી નહીં પણ બંધારણની જોગવાઈઓ અને ૧૯૫૫ના કાયદા મુજબ જ નાગરિકતા નક્કી થઈ શકે છે તે સ્વીકારવું રહ્યું.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – છોટમકાવ્ય

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


    બીરેન કોઠારી

    પુસ્તક ક્રમાંક: ત ૨૯/ ૦૧૬૯૬

    પુસ્તકનું નામ: છોટમકાવ્ય (વડોદરાનિવાસી કવિશ્રી છોટમલાલ બળદેવજીકૃત)

    સંશોધી પ્રસિદ્ધકર્તા: કહાનજી ધર્મસિંહ

    છાપનાર: ‘સાક્ષર સહાયક પ્ર.પ્ર. પ્રિંટિંગ પ્રેસ’, મુંબઈ

    પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૭

    કિંમત: આઠ આના

    પૃષ્ઠસંખ્યા: ૭૬

    વિગત: કવિ છોટમનાં કુલ ૯૭ કાવ્યોને આ પુસ્તકમાં સમાવવામાં આવેલા છે. આ કાવ્યોને કુલ છ વિભાગમાં વિભાજીત કરાયાં છે: શ્રીશિવ-શક્તિની સ્તુતિ, શ્રીકૃષ્ણકીર્તન, ભક્તિપ્રબોધ, પ્રભુપ્રાર્થના, ભક્તિ-વૈરાગ્ય-જ્ઞાન તેમજ પ્રેમ-ભક્તિ (શૃંગાર) ઈ.

    પુસ્તકના અંતે કહાનજી ધર્મસિંહનાં ‘અત્યુત્તમ નવનવીન ગ્રન્થો’ની યાદી તેમજ સંક્ષિપ્ત પરિચય મૂકવામાં આવ્યાં છે.

    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/chhotamkavya-ebooks


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું : પ્રકરણ ૪ – તા. ૩-૧૧-૯૧

    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

    તા. ૩-૧૧-૯૧ :- આજ મારી તબીઅત નાદુરસ્ત હતી તેથી અમે બહાર ફરવા જ‌ઇ શક્યા નહિ, તોપણ કેટલાક વેપારીઓ કાશ્મીરમાં બનાવેલાં કેટલાંક રૂપાનાં અને ત્રાંબાના વાસણૉ અમારે ઉતારે લઈ આવ્યા હતા તે જોયાં. નકશીનું કામ ઘણુંજ વખાણવા લાયક હતું. કાશ્મીરની આ કારીગિરી ભુજના નકશીના કામની બરાબરી કરી શકે તેવીજ છે.

    તા. ૪-૧૧-૯૧ :- આજ મારી તબીઅત સારી હતી. સૂર્યોદય થયો ત્યાર પછી ટાઢે થરથરતા બીછાનામાંથી ઉઠી, ગંગરીઓ ખોળામાં રાખી, દાતણ પાણી, સ્નાન વિગેરે નિત્ય કર્મ કરી, અને મિત્રોને કાગળ લખી જમી લીધું. બાર વાગ્યા હતા, સૂર્ય માથા પર આવ્યો હતો, તોપણ ઠંડી લાગતી હતી, તેથી ગરમ કપડાં પેહેરી લીધાં અને અમારી સોબતી ગંગરીઓ પણ કિસ્તીમાં સાથે રાખી લીધી. અમારે ડાલસરોવર જોવા જવું હતું. કિસ્તી ચાલવા લાગી, માંજીઓ હલેસાં મારવા લાગ્યા અને જ્યારે બીજી કિસ્તી નજરે પડતી ત્યારે સરત કર્યા વિના રહેતા નહિ. આ પ્રમાણે સરત કરતાં કોઇ વખત એકાદ માંજી પાણીંમાં ગબડી પડે છે. એક વખત અમારા જોવામાં પણ એવો પ્રસંગ આવ્યો હતો. અમારા ઉતારાથી આ સરોવર ચાર માઇલ દૂર હતું. ચોતરફ સુંદર દેખાવો જોતાં જોતાં બે કલાકની અંદર સરોવર પાસે પહોંચી ગયા.

    આ રમણીય સરોવરમાં જતાં પહેલાં એક દરવાજામાંથી પસાર થવું પડે છે. આ દરવાજા પાસે સફેદ અને ભુરાં બદકોનાં વિખરાઇ ગયેલાં ટોળાં, ઊંચા નીચાં થતાં નજરે પડે છે. તેઓના કઠોર કલકલ અવાજ પાણીના ઘુઘવાટ સાથે મળી જાય છે. કિસ્તીની આવજા આ જગ્યોએ થોડી છે. આ દરવાજામાંથી પાણી એટલા જોરથી બહાર આવે છે કે, કિસ્તીને તળાવમાં દાખલ કરવી એ મુશ્કેલીનું કામ છે. અમે દરવાજામાં પ્રવેશ કર્યો. માંજી લોકો બુમો પાડી હલેસાં મારવા લાગ્યા પણ કિસ્તી બહાર નીકળી ગ‌ઇ. પછી ભીંતોમાં વાંસ ભરાવી મહા પ્રયત્ને ડાલ સરોવરમાં લીધી.

    અહો ! આ બિચારા માંજીઓ માત્ર કાશ્મીરી જાર જેવા ચોખા, કમળની ડાંડલીઓ અને પાણીમાં ઉગતા કેટલાક છોડો પર પોતાનું ગુજરાન ચલાવે છે. દિવસમાં એકજ વખત પકાવે છે. અને પછી ટાઢું અનાજ ખાય છે. પંડિતોની લાકડીયો, ગાળો, અને જુલમ સહન કરે છે, વળી કાશ્મીરમાં શિયાળાની શરદીમાં માત્ર એક ફાટેલો જભ્ભો જ પહેરે છે છતાં તેઓની અજ્ઞાન અવસ્થાને લીધે તેઓ આને દુઃખ માનતા નથી, નફિકરા રહે છે અને પશુની માફક મજુરી કર્યા કરે છે.

    સરોવરની અથવા સ્વર્ગની અંદર દાખલ થયા. પાણી પર કોમળ નીલા અને જરદવેલા, તેનાં કુમળાં, સુંદર અને પોપટિયા રંગનાં પાંદડાં, કેટલીક જગ્યાએ મખમલ જેવો દીસતો લીસો ચળકતો શેવાળ, અને કમળનાં નાનાં, ગોળ, લીલાં અને સુકાઇ ગયેલાં સોનેરી રંગનાં, અડાળીનાં આકારનાં પાનો છવાઇ ગયેલાં હોય છે ; તેઓ પર નાના, મોટાં, લાંબા, અને ગોળ, ચળકતાં, આમ તેમ રડતાં, ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છૂટાં પડતાં સુશોભિત જલબિંદુઓ આકાશ પરના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવાં ભાસે છે. આ પાણીનાં ટીપાં અને આ પાન, ઘણે દીવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચાં મોતીથી સોનાનો થાળ ભરી રાખ્યો હોય તેવાં, વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ધીટ જંગલના મદમત્ત વનગજોનાં ગંડસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીયોમાં મુક્તાફળ કાઢી લીધાં હોય તેવાં, અથવા રાતે જોસભર પડતા વરસાદનાં કણો જેવા વિજળીથી ચળકે છે તેવાં, નજરે પડે છે. તેઓના પર સૂર્યનાં કિરણો પડે છે તેથી તેઓ યુદ્ધ કરતાં પહેલાં કોઈ પૃથ્વીપતિનાં જડાવ કર્ણ પલ્લવ અથવા શરદ્‌ ઋતુની ચાંદની સમે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલાં ગોપ વધૂઓનાં રત્નજડિત રત્નપ્રભાથી ભરાઇ ગયેલાં ગાળાવાળાં નેપૂર જેવાં દીસે છે. તેઓમાં સૂર્યનાં સેંકડો બિંબ પડે છે, તેથી પ્રલય સમયના બ્રહ્માંડ જેવાં ભાસે છે. હલેસાંથી પાણીની શીતલ ફરફર ઊડે છે, અને તેમાં સૂર્યનો તડકો પડવાથી આમતેમ દોડતાં, ઘડીમાં દ્રષ્ટિમાં પડતાં અને ઘડીમાં અદૃશ્ય થ‌ઇ જતાં, વિચિત્ર આકારનાં અનેક ઇંદ્ર ધનુષો રચાય છે.

    આથી આ સરોવર પંચરત્નની અખુટ ખાણ દેવદાનવોએ મંથન કર્યા પહેલાંના ચૌદ રત્નથી અલંકૃત રત્નાકર અથવા વસંત જેવું દિસે છે. આ અલૌકિક તળાવની એક બાજુએ હલતાં અને સ્થિર ગાઢાં કાળાં વાદળોથી કેટલાક ભાગમાં છવાયેલી, બરફની ઢંકાયેલી, ગંધકના રંગવાળી, નાની મોટી ધાર અને પાણીથી હાલતાં દીસતાં છરેરા, ઊંડી કોતરો, વૃક્ષઘટા અને ધુમ્મસથી ભયાનક, અંધારી અને વધારે ઉંડી દેખાતી ગુફાવાળી ટેકરીઓવાળા, આકાશને ટેકો દેતા પર્વતો આવી રહેલા છે. આ ભવ્ય મહાન ડુંગરો પરના બરફ પર કેટલીક જગાએ સૂર્યનાં ઉજ્જવળ કિરણ પડવાથી તેઓ ચાંદીનાં પત્રાંથી ઢંકાયેલ હોય, કાચથી છવાયેલ હોય અથવા જાણે કેમ અનેક ચંદ્રવાળાં અનેક રૂપ પ્રકટ કરેલ મહાદેવનાં કપાળ તેવા દીસે છે. આ તડકો ક્ષણેક્ષણે વધારે-ઓછા ચળકાટવાળો થયા કરે છે અને તેથી બરફના રંગ પણ પળે પળે બદલાયાં કરે છે.

    બીજી બાજુએ, કિનારાપર, સુંદર નીલાં, સોટા જેવાં લાંબા સફેદાનાં, લાલ પાંદડાં વાળાં, સુવર્ણમય દીસતાં, ભમરડા આકારનાં, મનોરંજક ચીનારનાં અને એવાંજ બીજાં અતિ સુંદર વિવિધ પ્રકારનાં બીજાં અતિસુંદર વિવિધ પ્રકારનાં વૃક્ષોની એકલ છાયા આપતી કુંજોથી સુશોભિત બગીચા શોભી રહ્યા છે. તેઓની ઉપર તોળાઈ રહેલા, પાછળ ઉભા રહી ચોકી કરતા,દૃષ્ટિમર્યાદા સુધી દીસતી નાટકશાળાની બેઠકો જેવી, દૃષ્ટિને ખેંચી લેતા ટેકરીઓવાળા, બીજી બાજુના ડુંગરો સાથે જોડાઈ જઈ તળાવની આસપાસ કિલ્લો કરી દેતા પર્વતો પડેલા છે. એક ખુણા પરના શિખર પર ગરૂડ જેવું શંકરાચાર્યનું મંદિર અથવા તખ્તે સુલેમાન નજરે પડે છે. કીનારા પર ચોતરફ આવી રહેલા આ દેખાવોનું ચંદ્ર જેવા શીતળ, સ્ફટિક મણિ જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે.

    આ બિંબને જોકે હમેશાં પાણીમાંજ રહેવાનું છે તોપણ જળની શીતળતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રૂજ્યા કરે છે. કેટલેક સ્થાને આ જળના વિશાલ દર્પણ પર લીલી લુઈ પથરાયેલી છે. જો આ જગત્‌ પર કોઈ સ્થલ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોયતો તે આજ છે. આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કીનારા પાસે આવી પહોંચી. આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ; ઓ દેવ ! આહા ! એ પણ એક સમય હતો !

    કિસ્તી ઉભી રહી એટલે અમે ઉભા થયા અને નીચે ઉતર્યા. પહેલાં અમારે ચશ્મેશાઈ જે કીનારાથી આશરે સવા માઈલ દૂર છે, ત્યાં જવાનું હતું. દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડા અવળા અમે ચાલવા લાગ્યા. ટાઢ ઉડી ગઈ, ડગલા ઉતાર્યા, અગાડી ચાલ્યા. જમણી બાજુએ એક નાના ડુંગર પર પરીમહેલ જ્યાં જહાંગીર કોઇ કોઇ વખતે નૂરજહાં સાથે રહી આનંદમાં દિવસ ગુજારતો હતો તે નજરે પડ્યો. તે હાલ ખંડેર જેવો દેખાય છે. અમે ત્યાં ગયા નહિ પણ સડક પર ઉભા રહી દુરબીનથીજ તેનાં દર્શન કરી અગાડી વધ્યા. અર્ધા કલાકમાં ચશ્મેશાઈ પહોંચી ગયા.

    શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે તેની અંદર ગયા. અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે, આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે. બંગલાના એક ખુણા પાસે એક શીતળ જળનો ચશ્મો છે. આ પાણી ઘણુંજ સ્વાદિષ્ટ અને ઠંડું છે. મને તરશ નહોતી લાગી, નહિતો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત; તોપણ સૌએ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી. આ બાગ જોકે હાલ પડતીમાં છે, તોપણ ઘણો સુંદર છે તો જહાંગીરના વખતમાં તેની ખૂબી કેવી હશે ?

    આ જગાએ કડીના રહીશ બાબુ કાલિદાસે અમારે માટે ચાર ટટ્ટુ અને એક ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં. બાબુ કાલિદાસની સાથે અમારી મુલાકાત બીજી તારીખે થ‌ઇ હતી. તળાવની વચમાં બે તરતા ટાપુ છે એમ અમે સાંભળ્યું હતું, તેથી તે જોવાની જિજ્ઞાસાથી, ઘોડાં અને ખચ્ચરને નશાદબાગ મોકલી આપી, કિસ્તીમાં બેસી, તે આશ્ચર્યકારક અસાધારણ બેટ તરફ ચાલ્યા. ટાપુની પાસે જ‌ઇ તપાસી જોતાં માલૂમ પડ્યું કે આ તરતા ટાપુ નથી પણ માત્ર ટાપુજ છે. તેને છોડી નશાદબાગ તરફ અમે ચાલ્યા. થોડા વખતમાં ત્યાં પહોંચી ગયા. અહિં પણ એક નાનો બંગલો છે, અને ફુવારાની ગોઠવણ પણ સારી છે. બાગનો દેખાવ સાધારણ છે, નશાદબાગ જલદી છોડી, ટટ્ટુપર અસ્વાર થ‌ઇ શાલેમ્હાર બાગ તરફ ચાલવા લાગ્યા, કિસ્તીઓ પણ ત્યાં મોકલી આપી.

    અમે જે ટટ્ટુપર બેઠા હતા તે કાશ્મીરી હતાં. આ ટટ્ટુ કદમાં નાનાં પણ મજબુત હોય છે, ડુંગર પર ઝડપથી અને સંભાળ રાખી ચડી જાય છે. ખચ્ચર પર રા. રા. રૂપશંકરભાઇ જે કુમાર શ્રી ગીગાભાઈ સાથે આવ્યા છે તે બેઠા હતા. ખચ્ચરને આ ઘોડાં સાથે દોડતાં ઘણી મુશ્કેલી પડતી હતી અને વારંવાર અટક્તું હતું તોપણ સોટીથી જરા શીખામણ આપવામાં આવતી ત્યારે દોડવા લાગતું હતું. આ પણ એક નવું વિમાન !

    આહા, આ ઝાડનું પ્રતિબિંબ તળાવમાં કેવું મનોહર દિસે છે ! આ વાદળાંનો રંગ કેવો વિચિત્ર દેખાય છે ! જુઓ ! જુઓ ! ત્યાં તે ટેકરી પરના બરફનો રંગ વાદળું ખશી જવાથી, એકદમ કેવો બદલાઈ ગયો ! જમણા હાથ તરફના ડુંગરપર, જુઓ તો ખરા ! કેવા વિચિત્ર આકારનું વાદળું છવરાઈ રહ્યું છે ! અને ત્યાં પણ કેવાં નાનાં નાનાં વાદળાં દોડા દોડ કરે છે ! આવી આવી આનંદની વાતો કરતા કરતા કલાઇના પત્રોના બનાવેલા એક દરવાજાની પાસે અમે આવી પહોંચ્યા. આ દરવાજો શાલેમ્હાર બાગનો હતો. આ બાગની આસપાસ એક દીવાલ છે, તેની અંદર અમે ગયા. અગાડી જોયેલા બાગ જેવોજ આ બાગનો દેખાવ છે. અમે સાંભળ્યું હતું કે અહિં શાહજહાંનું એક ઘણું સારૂં તખ્ત છે. માળીને તે બતાવવા કહ્યું. તે અમને એક સુંદર બંગલામાં લઈ ગયો પણ તખ્ત અમે ક્યાંઇ જોયું નહિ. માળીને પુછતાં માલૂમ પડ્યું કે આ બંગલો તે જ તખ્ત કહેવાય છે.

    આ બાગમાં આમતેમ ફરી અમે બહાર નીકળ્યા. અને ટટ્ટુ પર બેશી કિસ્તી તરફ ચાલ્યા. આ બાગના દરવાજા સુધી એક નહેર ખોદેલી છે પણ તેમાં માત્ર વસંત ઋતુમાંજ પાણી રહે છે. વસંતમાં પાણી દરેક જગાએ વધારે હોય છે કેમ કે તે વખતે પર્વત પરના બરફ પીગળે છે. આ સુકાઈ ગયેલી નહેરની બન્ને બાજુએ ચીનારના ઝાડની સીધી હાર છે. આ વૃક્ષોની સુંદર ઘટા નીચે અમે ઘોડાંને દોડાવતા ચોતરફ આવેલ ખુબસુરત દેખાવો પર નજર ફેરવતા ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા એટલે કિસ્તી ચાલી શકે તેટલું પાણી આવ્યું. અહિં અમારી કિસ્તીઓ તૈયાર હતી તેથી ઘોડા પરથી ઊતરી, તેઓને બાબુ કાલિદાસને ઘેર લઈ જવા ખાસદારોને કહી કિસ્તીમાં બેઠા. ને નસીમબાગ તરફ ચાલ્યા.

    પાણી પર કમલ અને લુઇ એટલાં ઘીટ ઉગેલાં છે કે માણસો તેના પર ધુળ પાથરી ચિભડાં અને બીજી વનસ્પતિ વાવે છે. આ પ્રદેશ જમીન જેવો દેખાય છે પણ જો કોઇ માણસ અજાણતાં તે ઉપર ઉતરે તો બુડી જાય અને વેલાઓમાં એવો ઘુંચવાઇ જાય કે પાછો બહાર નીકળી કે તરી શકે નહિ. આ તરતી, ત્રિશ્ંકુના સ્વર્ગ જેવી જમીનની અંદર ન્હાંની કિસ્તી ચાલી શકે તેવી ગલીઓ રાખેલી છે. કમલનાં પાન, લીલી લુઇ, તે પર ઉગેલી વનસ્પતિ, ધુળના ક્યારા અને પાણીની સડકો અતિશય સુશોભિત અને રમ્ય ભાસે છે. ૯. નસીમબાગ નજદીક આવી ગયો પણ સાંજ પડી જવા આવી અને અમારો ઉતારો દૂર હતો તેથી અમે તે બાગ દૂરથીજ જોઈ લીધો ; અંદર ગયા નહિ. આ બાગ તળાવના એક કીનારા પર આવેલો છે તેથી તળાવમાંથી ઘણો સુંદર દેખાય છે પણ બગીચાની અંદર ગયા પછી તે ખુબી નજરે પડતી નથી.

    સૂર્ય પશ્ચિમમાં અધોગતિ કરવા લાગ્યો, સંધ્યારાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થ‌ઇ ગયાં. સૂર્ય દેવતાનાં તપાવેલા સુવર્ણના રેષા જેવાં કીરણો, લાંબા થ‌ઇ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યાં, જળમાં પડતાં વૃક્ષાદિનાં પ્રતિબિંબ ભુંસાઈ જવા લાગ્યાં, વૃક્ષ ઘટામાં નાનાં ચકલાં ચીંચીં કરવા લાગી ગયાં. કાગડાનાં ટોળાં કઠોર છતાં તે વખતે આનંદકારી લાગતાં; કૌંચ શબ્દો કરતાં જુદી જુદી દિશામાં ઉડી જતાં નજરે પડતાં હતાં.

    થોડીવારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતાં અને સંભળાતાં બંધ પડ્યા. સૂર્ય બિંબ અદ્રશ્ય થ‌ઇ ગયું. નાના છોડ, કુમળી વેલી, અને મહાન વૃક્ષો એક બીજા સાથે મળી જતા હોય, એક રૂપ થ‌ઇ જતા હોય, અને દિશાઓ વિસ્તાર પામતી હોય તેવું ભાસવા લાગ્યું ! ઋષિઓ ચારે દિશામાં હોમ કરતા હોય અને વેદિઓમાંથી ધુમાડાના ગોટા ઊંચા ચડતા હોય, બીજા જન્મેજયે સર્પ કુલનો નાશ કરવા યજ્ઞ આરંભ્યો હોય અને તેથી જાણે ચોતરફ આકાશમાંથી કાળા સર્પનો વરસાદ પડતો હોય, કાળા વેલા જાણે એકદમ પૃથ્વીમાંથી નીસરી ઘુમ્મટ જેવા આકાશ પર ચારે કોર ચડી જતા હોય, પૃથ્વીને ઘેરી લેવા કલિનું કાળું લશ્કર જાણે આવતું હોય અથવા ભૂમિના પર્વત ભાગો જાણે મહાપ્રલયના જળમાં ડુબી જતા હોય, તેમ અંધારૂં વ્યાપવા લાગ્યું ! નાના મોટા તારા સતેજ થયા અને અંધારાને મદદ આપતા ધુમ્મસમાં ચળકવા લાગ્યા; આકાશ પાસે આવવા લાગ્યું. આગિયા અહિં તહિં ઝબકવા લાગ્યા. ઠંડી પડવા લાગી તેથી અમે ગરમ કપડાં પહેરી કિસ્તીમાં બેસી ગયા. માંજીલોકો ગંગરીમાં કોલસા ભરવા લાગ્યા.

    ‘ ગંગરી ‘ એ શબ્દ વારંવાર વાપરવો પડે છે તેથી તે શબ્દનો ખરો અર્થ સમજવો જોઈએ. માટીના હાંડલી જેવા વાસણની ચારે બાજુ બરૂ ગુંથેલ હોય છે, તેની ઉપર એક નાકું હોય છે. આ વાસણમાં અંગારા ભરી ગરીબ માણસો નાકામાં દોરી નાંખી ટાઢ પડતી હોય છે ત્યારે જભ્ભાની અંદર ડોકે તેને ટાંગી દે છે. આ ગંગરી બે પૈસાની એક મળી શકે છે. ઘરમાં જેટલાં માણસ હોય છે તેટલીજ ગંગરીયો હોય છે. ન્હાનું બાળક પણ ગંગરી ડોકમાં પહેરી ફર્યા કરે છે. જેમ સુધરેલ હમશાં હાથમાં સોટી રાખે છે તેમ માંજી લોકો ગંગરી હમેશાં સાથેજ રાખે છે.

    જે દરવાજામાંથી અમે તળાવમાં દાખલ થયા હતા તે જ દરવાજામાંથી બહાર નીકળ્યા. આ વખતે કિસ્તી તીરની માફક દરવાજા બહાર નીકળી ગઈ, કેમકે પાણીનું તાણ અનુકૂળ હતું. આ તળાવ સારી રીતે જોતાં એક અઠવાડીઊં થાય તે અમે માત્ર એકજ દિવસમાં જોયું ! એક સ્વપ્ન જેવું થઈ ગયું ! કિસ્તી બજારમાં ચાલવા લાગી, કેટક્લાક પંડિતોનાં લગ્ન હતાં તેથી સ્ત્રીઓ ગીત ગાતી હતી તે અમે સાંભળતા સાંભળતા ઉતારા પાસે આવી પહોંચ્યા.

    પંડિતાણીઓ જે સફેદ ટોપી પહેરે છે તેમાં બે તરફ ન્હાનાં કાણાં રાખે છે, અને તેની અંદર લાંબા ઢોળિયા જેવાં ઘરેણાં પહેરે છે. વળી આ ટોપી પર નાનું ઓઢણું ઓઢે છે. આ રીવાજની મને આજજ ખબર પડી.

    રાતના આશરે આઠ વાગે ઉતારે પહોંચ્યા, વાળુ કર્યું અને સગડી(હાર્થ)માં લાકડાં સળગાવી બિછાનામાં સુતા, સુતાં સુતાં હું વિચાર કરતો હતો કે : ખરેખાત કાશ્મીરમાંજ ઈશ્વરની રમણીય રચનાનો વર્ષાદ વર્ષી ગયો છે. વળી હિંદુસ્તાન આવાં સુંદર સ્થળોનો માળીક હોવાથી કેવો ભાગ્યશાલી કહેવાય ! વિંધ્યાટવીનો પ્રદેશ પણ કાંઇ ઓછી ખુબીવાળો ગણાતો નથી, અને દક્ષિણ પણ રમણીયતામાં ઉતરે તેમ નથી. ભવભૂતિ, કાલિદાસાદિ કવિઓની અગાધ કલ્પના શક્તિનું પણ આજ સૃષ્ટિ સૌંદર્ય મુળ કારણ છે. પણ અતિશય થવાથી કઈ વસ્તુ હાનિ કરતી નથી ? આ દેખાવો આનંદની સાથે દુઃખ દેનાર પણ ક્યાં ઓછા થયા છે ?

    આર્યાવર્તમાં કુદરતની અતિશય ભવ્યલીલાથી માણસોની કલ્પનાશક્તિ અતિશય વધી ગ‌ઇ અને તેથી ખરી વિચારશક્તિની ખામી રહી ગ‌ઇ ! અને માણસો વહેમીલાં થ‌ઇ ગયાં. કાળીના બલિદાનાર્થે હજારો માણસના જીવ ગયા છે, પિતૃ પીડા અને ભૂતપલિતથી સેંકડો માણસો રીબાય છે, આવતા જન્મમાં સુખી થવા માટે, કાશીમાં કરવત મેલાવી, ગિરનાર પર ભૈરવજપ ખા‌ઇ, હિમાલયમાં ગળી, કમલપૂજા ખા‌ઇ અને એવા અનેક પ્રકારે કરોડો અજ્ઞાની અને વહેમી આર્ય બંધુઓએ કમકમાટી ઉત્પન્ન કરે તેવી રીતે આત્મઘાત કરેલ છે! કુદરત સામે બાથ ભીડવા શક્તિમાન ન હોવાથી હજારો જડવસ્તુઓને ઈશ્વરપદ આપેલ છે, દેવ બનાવેલ છે અને પૂજેલ છે. પરમબ્રહ્મની કૃપાથી તે ધુન્ન હવે મગજમાંથી દૂર થવા લાગી છે, તોપણ દૃઢ આગ્રહથી હીંમત રાખી એક કાર્ય પાછળ મંડ્યા રહેવું એ બ્રિટનોની ખાસીયત હજી હીંદુ ભા‌ઇઓથી ઘણી દૂર રહેલી છે. અલબત ક્યાંઇ ક્યાંઇ આ ગુણ પણ ચમત્કારો બતાવે છે, પણ તે મહા ગુણ સર્વવ્યાપક ક્યારે થશે ? હજી ઘણી વાર છે. તેમાં આર્ય બંધુઓનો દોષ નથી. જ્યારે જ્ઞાન વહેમને દૂર કરશે ત્યારે એની મેળે બધાં સારાંવાના થશે. હવે તો વિદ્યાની સાથે ગાઢ પ્રેમ બાંધવો જોઇએ. એ શસ્ત્ર ક્યાંઇ છૂપું રહે તેવું નથી. સૂર્ય ઉગ્યો એટલે અજવાળું થવાનુંજ અને ધુમ્મસ ઉડી જવાનો, અસ્તુ.

    આવા આવા વિચારોમાં મને ઉંઘ આવી ગ‌ઇ અને સુસ્વપ્નમાં રાત્રી નીકળી ગ‌ઇ.


    ક્રમશઃ


     હવે પછી : પ્રકરણ ૫ – તા. ૫-૧૧-૯૧

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • ટીચર્સ ડે

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    રોજની જેમ જ નંદિનીએ ઘર પહોંચતાની સાથે પોતાનું પર્સ સોફા પર લગભગ ફેંકવાની જેમ મુક્યું.

    “કેમ મમ્મી, ફરી આજે તારા ફેવરિટ સ્ટુડન્ટ સાથે પ્રોબ્લેમ થયો કે શું ?” નંદિનીની દીકરી સુરભીએ મસ્તીભરી નજરે મમ્મીની સામે જોઈને સવાલ કર્યો. એણે ધાર્યું હતું એમ જ નંદિનીએ આજે પણ નમન સામે ફરિયાદોનું પોટલું ખોલીને આખા દિવસની ચીઢ ઠલવવા માંડી.

    સુરભી અને નંદિનીના પતિ સંદિપ માટે આ રોજની વાત હતી.

    નંદિની છઠ્ઠા ધોરણની ક્લાસ ટીચર હતી. આમ તો સૌની સાથે એનો વ્યવહાર માયાળુ હતો, પણ કોને ખબર  છેલ્લી બેંચ પર બેઠેલા ફૂવડ જેવા લાગતા નમનને જોઈને એના મનનો ક્રોધ અને ધૃણા મિશ્રિત ભાવ ચહેરા પર છલકાયા વગર રહેતા નહીં.

    સાવ નિસ્તેજ લાગતો નમનનો ચહેરો, ઠેકાણાં વગરનાં કપડાં, જેમતેમ ઓળેલા વાળ, ગરબડિયા અક્ષરોમાં લખેલી એની નોટ્સ જોઈને એ એટલી તો અકળાતી કે ના પૂછો ને વાત.

    ‘સારી સ્કૂલમાં છોકરાંઓને કેવી રીતે મોકલાય એની માબાપને ખબર નહીં પડતી હોય? જે છોકરાંઓ કે માબાપમાં ઢંગધડો ના હોય એવા માટે સરકારી સ્કૂલ છે જ ને? ત્યાં ધકેલવાના બદલે અહીં અમારાં માથે શું કામ ઠોકતાં હશે?”

    રોજની જેમ આજે પણ એ નમનને લઢી નાખવાની ઇચ્છા એ રોકી શકી નહીં.

    “નમન…”

    નંદિનીનો કરડો અવાજ સાંભળીને નમન બેંચ પરથી ઊભો થઈ ગયો.

    “ગઈ કાલે ક્લાસમાં શું ભણાવ્યું હતું, યાદ છે?’

    નંદિનીના સવાલનો જવાબ આપ્યા વગર નમન નીચા મોઢે ઊભો રહ્યો. ક્લાસમાં દબાયેલા હાસ્યનું મોજું ફરી વળ્યું. નંદિનીના રોષે માઝા મૂકી ને નમનને નજરથી દૂર કરવા ક્લાસની બહાર ઊભા રહેવાનો આદેશ આપ્યો.

    ક્લાસ પૂરો થતાં વિદ્યાર્થીઓની નોટબુક લઈને સ્ટાફરૂમમાં આવી. નમનની નોટબુક જોઈને આજે પણ રોજની જેમ જ અકળાઈ.

    ‘હે ભગવાન, આ છોકરો જો આમ જ કરશે તો કેવી રીતે પાસ થશે? અને જો પાસ નહીં થાય તો આખું વર્ષ મારે ફરી એનું મોં જોવાનું થશે.’

    અને ખરેખર એવું જ થયું. ત્રિમાસિક પરીક્ષામાં નમન બધા વિષયોમાં નપાસ હતો. પ્રિન્સિપાલ સારિકા મેડમે નંદિનીને બોલાવી. હજુ તો નમનનું નામ લે પહેલાં જ નંદિનીએ પોતાનો બળાપો ઠાલવવા માંડ્યો.

    “મે’મ, આ છોકરાંનુ ભણવામાં જરાય ધ્યાન હોતું જ નથી. હું તો આ વર્ષે નવી આવી છું, પણ એ કેવી રીતે અહીં સુધી પહોંચ્યો હશે એની નવાઈ લાગે છે.”

    સારિકા મે’મની પ્રકૃતિ શાંત, સૌમ્ય અને ધૈર્યવાળી હતી. એમણે નંદિનીને નમનની આગલા વર્ષની માર્કશીટ બતાવી. નંદિની આશ્ચર્યચકિત બનીને જોઈ રહી.

    નમન અત્યંત મેઘાવી વિદ્યાર્થી હતો. સ્કૂલની અન્ય પ્રવૃત્તિમાં પણ હંમેશાં અવ્વલ રહેતો.

    “નંદિની, તમે અહીં આવ્યાં એના થોડા સમય પહેલાં જ નમનની મમ્મીનું અવસાન થયું છે. નમનના પપ્પા હજુ પોતાની જાતને સંભાળી શક્યા નથી. ઘર-ગૃહસ્થી, નમનની દેખભાળ કરવાવાળું કોઈ નથી. જાતે તૈયાર થઈને સ્કૂલે આવી જાય છે. પાડોશીઓની મદદથી જેમ તેમ ઘરનું તંત્ર ચાલે છે. નમનની મમ્મી હતી ત્યાં સુધી એ ઉચ્ચ કક્ષામાં પાસ થયો છે.

    “સ્કૂલે આવતાં બાળકોનાં માવતર બનીને એમને જીવનમાં આગળ વધવાની સાચી દિશા દર્શાવવાની જવાબદારી આપણી છે. આશા છે, મારી વાત તમે સમજી શક્યા હશો.” સારિકા મે’મના અવાજમાં ભારોભાર શાલિનતા હતી.

    નંદિની સ્તબ્ધ.

    સાંજે ઘેર પહોંચીને પણ નંદિની શાંત હતી. આખા દિવસની સ્કૂલની રોજનીશી સંભળાવાને બદલે એનો ગંભીર ચહેરો જોઈને ઘરમાં સૌને નવાઈ લાગી. જમવાના ટેબલ પર થોડી રમૂજ કરીને વાતાવરણ હળવું બનાવવા સુરભીએ પ્રયાસ કર્યો, પણ વ્યર્થ.

    “શું વાત છે મમ્મી, આજે કેમ આમ મૌનીબાબાની જેમ બેઠી છું? આજે તારો ફેવરિટ સ્ટુડન્ટ નમન સ્કૂલે નહોતો આવ્યો કે શું?”

    સુરભીની ટીખળ સાંભળીને સંદિપ હસી પડ્યો. નંદિની રડી પડી. વાતાવરણ હળવું થવાનાં બદલે વધુ ગંભીર બન્યું.

    “નંદિની, તબિયત ઠીક નથી કે શું?” સંદિપ પત્નીનો હાથ પસવારતા બોલ્યો. નંદિનીની આંખમાંથી તો આંસુની ધાર. કેટલીય વારે એ માંડ બોલી.

    “મારાથી નમન સાથે બહુ મોટો અન્યાય થઈ ગયો. વગર જાણે, વિચારે, સમજે મા વગરના નમનને કેટલી હદે હડધૂત કર્યો !? કેટલી નારાજગી, કેટલી સખતીથી એની સાથે વર્તી છું એ વિચારીને આજે મને મારી જાત પર શરમ આવે છે.”

    નમનનો ચહેરો યાદ આવતા અપરાધબોજ સાથે સવારની પ્રતીક્ષામાં આખી રાત એ જાગતી રહી.

    ક્લાસમાં પહોંચતાની સાથે નમનને બોલાવ્યો. નમનને આશ્ચર્ય થયું. ડરતો ડરતો એ નંદિનીની પાસે પહોંચ્યો. જેમ તેમ ઓળેલા ગુંચવાયેલા વાળમાં નંદિનીએ મમતાથી હાથ ફેરવ્યો.

    “હોમવર્ક કર્યું છે, નમન?” નંદિનીના કોમળ અવાજે કરેલા સવાલનો નમન પાસે જવાબ નહોતો, એ જમીન પર નજર ખોડીને ઊભો રહ્યો. ક્લાસમાં દબાયેલા હાસ્યનું મોજું ફરી વળ્યું. આ વખતે નંદિનીએ ક્લાસના વિદ્યાર્થીઓ સામે કરડી નજરે જોયું. ક્લાસમાં સોપો પડી ગયો.

    “નમન, તું અહીં મારી પાસે જ બેસ.”

    એ દિવસથી નંદિનીનો નમન તરફનો વર્તાવ બદલાઈ ગયો. ક્લાસમાં નમનને સૌથી સહેલા સવાલો પૂછતી. બે દિવસ, ચાર દિવસ, નમન ચૂપ જ હતો. નંદિનીએ જરાય અકળાયા વગર એ સિલસિલો ચાલુ રાખ્યો અને અંતે પાંચમા દિવસે નમનની ચુપકિદી તૂટી.

    એનો જવાબ સાંભળીને નંદિની જેમ સૌએ નમનને તાળીઓથી વધાવી લીધો.

    ધીરેધીરે નમનમાં સુખદ પરિવર્તન દેખાવા માંડ્યું. થોડો સાફસૂથરો બનીને સ્કૂલે આવતો, હોમવર્ક પણ કરવા માંડ્યો. સૌની સાથે ભળવા માંડ્યો. નંદિનીની સામે પહેલી બેંચ પર બેસતો થયો. પ્રશ્નોના ઉત્તર આપવામાં એણે પહેલ કરવા માંડી. ક્લાસમાં સૌ તાલીઓથી એને વધાવતા. નંદિનીના ચહેરા પર ખુશી જોઈને એનો ઉત્સાહ વધતો.

    આજ સુધી નમન સાથે તોછડા વ્યવહારના લીધે મનમાં ઉદ્ભવેલા અપરાધભાવમાંથી નંદિની જરાતરા બહાર આવવા માંડી. નમન માટે એ ઘેરથી નાસ્તો લઈ આવતી. બંને વચ્ચે નવો-અનોખો સંબંધ બંધાતો ગયો.

    સ્કૂલમાં અન્ય વિષયના શિક્ષકોને પણ નંદિની આગ્રહપૂર્વક નમન માટે ધ્યાન રાખવાનું કહેતી. નમનમાં કલ્પનાતીત બદલાવ આવતો ગયો. છ માસિક પરીક્ષામાં તો સૌના આશ્ચર્ય વચ્ચે નમન ખૂબ સરસ પરિણામ લઈ આવ્યો. સારિકા મે’મે નંદિનીને બોલાવી.

    “નંદિની, તમારી પાસે મને આ જ અપેક્ષા હતી. એક માસૂમ બાળકનો વર્તમાન સુધારીને એનું ભાવિ ઉજ્જ્વળ બને એવા જે પ્રયાસ કર્યા એ માટે આભાર કે અભિનંદન જેવા શબ્દો ઓછા પડે.”

    નંદિની રાજી રાજી. એક કુમળું ફૂલ એની જરા અમસ્તી મમતાભરી કાળજીથી કરમાતું બચી ગયું.

    નંદિનીને સારિકા મે’મ પ્રત્યે અનહદ માન થયું. પોતાનું માનસ બદલવાનું શ્રેય તો સારિકા મે’મનું જ ને?

    વર્ષાંતે ટીચર્સ ડે આવ્યો. પ્રાર્થના, ગીતો, નૃત્ય, નૃત્યનાટિકાનાં અંતે શિક્ષકોનાં સન્માનનો કાર્યક્રમ હતો. સૌ પોતાના શિક્ષક માટે નોખી નોખી ભેટ લઈ આવ્યા.

    નંદિનીના ટેબલ પર ભેટનો ખડકલો હતો. સૌથી છેલ્લે છાપામાં પેક કરેલી ભેટ લઈને નંદિની સામે નમન ઊભો હતો.

    “ઘરમાં પડેલી કોઈ જૂની નકામી ચીજ લઈ આવ્યો લાગે છે.” છોકરાંઓમાં કાનાફૂસી ચાલી.

    નંદિનીએ સૌથી પહેલી નમનની ભેટ ખોલી. છાપામાંથી એક સાડી સરી પડી.

    “આ મારી મમ્મીની સાડી છે. તમારી પાસે આવું ત્યારે મમ્મી જેવી સુગંધ આવે છે. ” નમન અત્યંત સંકોચભર્યા અવાજે બોલીને નંદિનીને પગે લાગ્યો.

    નંદિનીના હૃદયમાં તો લાગણીઓનું ઘોડાપૂર.. મમતામાં પણ એક સુગંધ હશે જે આવડાં નાનાં બાળકે અનુભવી !?

    કોઈનીય પરવા કર્યા વગર નંદિનીએ નમનને પોતાનાં હૈયાસરસો ખેંચી લીધો.

    ટીચર્સ ડે પર ગુરુ- શિષ્યના સ્નેહનું જીવંત ઉદાહરણ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી.


    પૂનમ એહમદ લિખિત વાર્તા ટીચર્સ ડે પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પ્રતિબિંબ

    વસુધા ઈનામદાર

    ‘જરા ગાડી ધીમી ચલાવ ‘ સૌમ્યાએ સાર્થને કહયું.

    સાર્થે હસીને ચાલુ ગાડીએ સૌમ્યા સામે જોયું, ને તે બોલ્યો ,

    ‘તને મારા ડ્રાઇવિંગની બીક લાગે છે ?’

    ‘ના , એમ નથી પણ …… ‘

    ‘પણ શું ? સૌમ્યા જો તો ખરી આ રોડની શોભા ! એકબીજા તરફ ઢળેલાં આ વૃક્ષોએ કેવી સરસ કમાન બનાવી છે ! આ પેલા ઘનઘોર વાદળાં જો તો ખરી ! ગાગર છલકાય તેમ હમણાં જોતજોતામાં છલકાવાનાં, અરે એટલું જ નહીં ,ધોધમાર વરસી પડવાનાં, ને એના ઝાપટામાં આપડે ન સપડાઈએ એટલેજ સ્તો !! ‘

    ‘બસ બસ હવે રહેવા દે ! સાચું શું છે તે કહી દે ! ‘ સૌમ્યાએ સાર્થને કહયું.

    ‘સાચું કહું સૌમ્યા ,નીતા આંટીએ જ્યારથી આનિયાની વાત કરી છે ને , ત્યારથી મારું મન જાણે એ નાનકડી આનિયાની પાછળ પતંગિયાની જેમ ઉડાઉડ કરે છે. એના ફોટા જોયા ત્યારથી એક સુખદ અજંપો મનમાં ફેલાયો છે. એના નાના નાજુક હાથ, એના કાલાઘેલા શબ્દોની સરગમ, પણ પછી મારું મન ધીરેધીરે એના ચહેરા પર સ્થિર થાય છે. એનો નિર્દોષ ચહેરો અને એ ભલી ભોળી આંખો અને મા માટે એની આંખમાંથી દદડતાં આંસુ ! ‘

    ‘બસ કર સાર્થ , હું આનિયાને મળું તે પહેલાં જ તારે મને રોવડાવવી છે ?’

    ‘સોરી, સોરી સૌમ્યા ! પણ સાચું કહું સૌમ્યા ! મારા મનમાં વલોવતી મારી લાગણીના ફુવારા છે ! ‘
    સાર્થે ,સ્ટીઅરિંગ પરથી હાથ ઉઠાવીને સૌમ્યના હાથ પર મુક્યો ! સૌમ્યા ક્યાંય સુધી સાર્થના
    હૂંફાળા સ્પર્શને માણતી રહી ! થોડીવાર પછી હળવેથી સાર્થનો હાથ સ્ટીઅરિંગ પર મુકતા કહ્યું .
    ‘સાર્થ આપણે આનિયાના ફોટા અને વીડિયો જોયાં અને આપણને ફેસબુક પર જોયા,છતાં મને ખબર નથી કે આપણને જોતાં જ નાનકડી આનિયાની શું પ્રતિક્રિયા હશે, તે હું નથી જાણતી પણ મારા આ બે હાથોની, મારા હૃદયની, મારા છાતીમાં ધબકતા મારા ધબકારની એક જ પ્રતિક્રિયા હશે,

    …… હું આનિયાને જોશથી મારી છાતીએ વળગાડી, મારા હૃદય સરસી ચાંપીને એને વહાલથી નવડાવી દઈશ ને કહીશ , ઓ મારી દીકરી આનિયા, તું જ મારી દીકરી છો ! ‘

    સાર્થ ગંભીર અવાજે બોલ્યો ,’ સૌમ્યા, તને આ આપણો નિર્ણય બરાબર લાગે છે ? આપણે તો કોઈ સરોગસી કરવાવાળાં બહેનની શોધમાં હતાં ને આમ અચાનક તેં નિર્ણય બદલ્યો ! જોકે હું પણ તારી સાથે જોડાયો છું, પણ તને લાગે છે કે આપણે આ નિર્ણય લીધો છે તે બરાબર છે ? આપણાં માટે એ યોગ્ય નીવડશે ? કે પછી …… ?’

    ‘જો સાર્થ, સાચા ખોટા નિર્ણયની મને ખબર નથી ,નીતુ આંટી કહે છે તેમ , આપણે આ એક ઉમદા અને માનવતાભર્યું કામ કરવા જઈએ છીએ. જોકે એમાં આપણો સ્વાર્થ પૂરેપૂરો છે. આપણે મા-બાપ બનવાના સાર્થ ! કોવિડને કારણે અનાથ થયેલી દીકરીને, હું કાંઈ માત્ર દયા કે કરુણાથી નથી અપનાવતી. એના વિષે આખી વાત જાણી, એને ફેસબુક પર જોયા પછી મારી ઝંખનાની ઝાલરે જાણે વાત્સલ્યના સૂર રેલાવ્યા છેં અત્યારે તો હું આનિયાની મા બનવાની છું એની તૃપ્તિ અને પ્રસન્નતા અનુભવું છું ,એથી વિશેષ કાંઈ નહિ ! આપણે હવે એક જ નિર્ણય લેવાનો છે અને તે છે આનિયાને એના અસલી માબાપની ખોટ જિંદગીભર નહિ સાલવા દેવાની !

    સાર્થે એની વાતમાં ટાપસી પુરાવી તેને કહયું, ‘ તારી વાત એકદમ સાચી છે સૌમ્યા !’

    વાતવાતમાં બંને જણ નીતુ આન્ટીની દીકરીને ત્યાં આવી પહોંચ્યા. રસ્તામાં વરસાદમાં ના ભીંજાયા, પણ વરસાદી મોસમમાં લાગણીથી છલોછલ થઈને તેઓએ એકબીજાની સામે જોયું ,
    ને દરવાજાની બેલ મારી !!

    દીપાએ દરવાજો ખોલ્યો ,એની પાછળ એનો ડ્રેસ પકડીને ઉભેલી આનિયાને સૌમ્યા જોઈ જ રહી ! પોતાની મા જેવા જ પંજાબી ડ્રેસમાં આવેલી સ્ત્રીને આનિયા પણ જોઈ જ રહી, પોતાની મા સમજીને દોડી ગઈ ,પણ નજીક જઈને અજાણ્યો ચહેરો જોતા જ આનિયાએ રડવાનું શરું કર્યું. તે પાછી ફરીને દીપાને વળગી પડી ! સાર્થ એકીટશે તે બંનેને ચુપચાપ જોઈ રહ્યો ! દીપાએ બંનેને સોફા પર બેસવાનું કહ્યું.

    સૌમ્યાએ આનિયાની સામે જોતાજોતા પોતાની પર્સમાંથી જુદાજુદા રંગની, નાનીનાની બંગડીઓ કાઢી, એટલું જ નહીં આનિયાને ગમતી લાલ રંગની માળા પણ એણે કાઢી ! પોતાના બંને હાથનો ખોબો કરીને આનિયાને આંખના ઈશારા વડે બોલાવી .આનિયાએ આગળ આવીને માળા સૌમ્યાના હાથમાંથી લઈ લીધી. એની આંખો રડતી હતી પણ ચહેરા પર સ્મિત રેલાયું ! માળા ડોકમાં નાંખી તે દીપાની પાછળ સંતાઈ ગઈ !

    સાર્થે સૌમ્યાને પૂછયું, ’તું આ બધું કયારે લાવી ?’

    સૌમ્યાએ હસીને કહ્યું  ,’ મને નીતુ આંટીએ કહયું હતું ,કે આનિયાને માળા અને બંગડીઓ ગમે છે .’

    દીપાએ આનિયાને પોતાના ખોળામાં બેસાડી અને બોલી, ‘આનિયાની મમ્મી પણ મારા જેવી નર્સ હતી. આનિયાના પપ્પા ડોક્ટર હતા. કોવીડના દર્દીઓની સેવા કરતા કરતા એમને પણ કોવીડ થયો. તેઓ દસેક મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા. આનિયાની મમ્મીનું નામ શશી હતું. એ થોડા મહિના પહેલાં જ અમારી હૉસ્પિટલમાં આવી હતી. અમે બંને એક જ શિફ્ટમાં કામ  કરતા હતાં .અમને જયારે સાથે રહેવાનો ટાઈમ મળતો ત્યારે તે હંમેશા આનિયાની જ વાતો કરતી, આનિયાના માતા પિતાના લવ મેરેજ હતા.

    બંને પક્ષે એમના લગ્ન મંજૂર નહોતા. આનિયાના પિતાના મૃત્યુ પછી શશી ડરવા લાગી હતી , એણે પોતાના માતાપિતા અને પતિના  કુટુંબનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો અંતે ના છૂટકે તે આનિયાને આયા પાસે મૂકતી. કોવીડના કારણે આયા પણ જતી રહી. ડોક્ટર અને નર્સ ને ત્યાં કોવિડને કારણે કોઈ કામ કરવા તૈયાર નહોતું, ત્યારથી હું અને શશી આનિયાને સાચવતાં.

    એક દિવસ શશી હોસ્પિટલમાંથી તાવ લઈને આવી, તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. તેને કોવીડ થયાનું નિદાન આવ્યું, અમે બંને ડરી ગયાં. મેં કોવીડના બીકથી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી !શશીની તબિયત બગડવા લાગી, તેણે એક સાદા સ્ટેમ્પ પેપર પર પોતાને કશુંક થાય તો આનિયાને દત્તક આપવી એમ લખીને ડોક્ટર અને નર્સની હાજરીમાં આ પેપર પર સહીઓ કરીને સહુની વચ્ચે કહયું કે, મારી અંતિમ ઈચ્છા છે કે, દીપાએ આનિયાને રાખવી અથવા કોઈ એડપ્શન એજન્સીની મદદથી સારું ઘર શોધીને આનિયાને દત્તક આપવી.

    તમે તો જાણો છો જ મારી મમ્મી સોશિયલ વર્કર છે , અને તે કોઈ દત્તક એજન્સીની કાયેદેસર મદદ લઈને આ દત્તકની સમગ્ર પ્રક્રિયામાં મદદ કરશે. આ કાયદાકીય દૃષ્ટિએ જોઈતી બધી જ મદદ કરવાનું મારી મમ્મીએ માથે લીધું છે.

    સૌમ્યાબહેન, મારા મમ્મી કહેતાં હતાં કે, તમે થોડા દિવસ રોજ આવીને આનિયા સાથે રહેવાના છો. આ તમારો વિચાર ખૂબ જ સારો છે. આનિયા તમારી સાથે ભળી જશે. શશીએ એડપ્શનનાં પેપર પર સહુની હાજરીમાં સહીઓ કરી છે તેથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. આનિયાના પિતાએ શશીને કહયું હતું કે ,’ જો તું મારી જેમ કોવીડમાં સપડાય તો આપણી આનિયાને તારા કે મારા પરિવારમાં ના સોંપતી, આપણાં પ્રેમની સજા આનિયાને નહિ આપતી ! ‘ કદાચ તેથી જ એ બંને પરિવાર તરફથી શશીને કોઈ અપેક્ષા નહોતી .મારા મમ્મી કહેતાં હતાં ,’ તમારા સિવાય આનિયાને આટલો સારો પોતીકો લાગે એવો પરિવાર નહીં મળે’. મમ્મીની વાત મને સાચી લાગે છે

    સાર્થ અને સૌમ્યા જયારે ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે રાતરાણીની સુગંધથી સમગ્ર  વાતાવરણમાં પ્રસન્નતા ફેલાઈ હતી .

    આજે એ વાતને પાંચેક વર્ષ થઈ ગયા. આનિયા હવે સ્કૂલમાં જાય છે. વર્ષો પહેલાં દીપાને ઘરેથી નીકળતી વખતે દીપાએ સૌમ્યાને શશીની પંજાબી ડ્રેસની ઓઢણી આપતા કહયું હતું , ‘સૌમ્યા બહેન ,આનિયાને એની મમ્મીની આ ઓઢણી બહુ જ ગમે છે. રાતે એને ઊંઘ ના આવે તો તેને આ ઓઢણી આપજો .’ એ ઓઢણી સૌમ્યાએ હજી સુધી સાચવી રાખી હતી.

    રોજની ટેવ મુજબ સૌમ્યા આનિયાના વાળ ઓળે છે , અરીસામાં જ સૌમ્યાની સામે જોઈ આનિયા બોલી , ‘મમ્મી, તમને ખબર છે ,મારી મમ્મી કેવી દેખાતી હતી ?’

    સૌમ્યા હસી. કબાટના ઉપરના ખાનામાં મૂકેલી શશીની ઓઢણી આનિયાને ઓઢાડીને  બોલી, ‘જો  આનિયા, તારી મમ્મી બિલકુલ આવી જ, તારા જેવી જ દેખાતી હત .’ આનિયા અરીસામાં જોઈ જ રહી. ક્યાંય સુધી ,બસ જોઈ જ રહી !!


    સૌજન્યઃ અખંડાઅનંદ


    વસુધા ઇનામદાર | ફોન – ++૧ -૭૮૧ ૪૬૨ ૮૧૭૩ | બૉસ્ટન USA

  • રાષ્ટ્રગાનની રોચક વાતો

    માહિતી જંક્શન

    વિશાખા મોઠીયા

    ઓગસ્ટ મહિનો એટલે આઝાદીનો મહિનો; શિવભક્તિ અને દેશભક્તિનો મહિનો.  જેમ કોઈ આરતી કે ભજન એ જે તે દેવ પ્રત્યેનો ભક્તિભાવ છે એવી જ રીતે રાષ્ટ્રગાન પણ જે તે દેશ પ્રત્યેનો ભક્તિભાવ (દેશ ભક્તિ) દર્શાવે છે. ઘણાંય દેશોમાં રાષ્ટ્રગાન તરીકે માત્ર સંગીતની ધૂન જ છે, જ્યારે આપણા ભારત દેશનું રાષ્ટ્રગાન શબ્દ તેમજ સંગીત એમ બંને સ્વરૂપે છે. આ રાષ્ટ્રગાન જેટલું વૈવિધ્ય સભર છે એની રચના પણ એટલી જ રોચક છે. તો ચાલો જાણીએ –  કઈ રીતે આપણા ભારત દેશને સમર્પિત એવા રાષ્ટ્રગાનની રચના થઈ ? તેમજ તેની અન્ય વિશેષ બાબતો વિશે.

    જન ગણ મન… એ આપણા ભારત દેશનું રાષ્ટ્રગાન ~ રાષ્ટ્રગીત છે. જેની રચના ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા વર્ષ : ૧૯૧૧માં કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન આપણા દેશના બે રાષ્ટ્રીય તહેવાર : પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિનના રોજ તિરંગાનું ધ્વજારોહણ કર્યા બાદ સલામી આપી, સાવધાન મુદ્રામાં ગાવામાં આવે છે. રાષ્ટ્રગાન એ આપણા ભારત દેશની વિવિધતામાં એકતા, ભૌગોલિક વિસ્તાર, સમગ્ર ભારતીયવાસીઓનો દેશપ્રેમ ~ ભાઈચારો વગેરેનો મહિમા સમજાવે છે. રાષ્ટ્રગાન ૫૨ ~ બાવન સેકન્ડની અવધિમાં ગાવાનું હોય છે, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે. પરંતુ અમુક જગ્યાએ રાષ્ટ્રગાનની માત્ર પહેલી અને છેલ્લી પંક્તિ ગાવામાં આવે છે, જે વીસ સેકન્ડમાં ગાવાની હોય છે.

    રાષ્ટ્રગાનની રચના

    રાષ્ટ્રગાનની રચનામાં ટાગોરસાહેબ તો મુખ્યરૂપે છે જ, પરંતુ એની સિવાય નેતાજી સુભાષચંદ્ર બોઝે ટાગોર સાહેબની આ રચનાને ભારતના રાષ્ટ્રગાન તરીકેનો દરજ્જો અપાવવા સુધી લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

    આપણા રાષ્ટ્રગાન ‘જન ગણ મન…’ ની સૌપ્રથમ રચના ૧૧ ડિસેમ્બર, ૧૯૧૧માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં કરવામાં આવી હતી. બંગાળી ભાષામાં તેનું નામ ‘ભારત ભાગ્યો બિધાતા…’ હતું.

    ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ, કલકત્તા ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન યોજાયું હતું. અધિવેશનના બીજા દિવસે આ બંગાળી વર્ઝનનું ગીત ખુદ ટાગોર સાહેબ દ્વારા સૌપ્રથમવાર રજૂ કરવામાં આવ્યું હતું. ભારત ભાગ્યો બિધાતા – ગીતમાં જે રીતે ભારત દેશના અલગ અલગ પ્રાંતોનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેમજ જે રીતે ભારતની પ્રજાને દેશના અધિનાયક તરીકે બિરદાવવામાં આવી હતી; એના એક એક શબ્દો – પંક્તિઓ સમગ્ર ભારતવાસીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ, નેતાઓના હ્રદયમાં વસી ગયું હતું. આ ઉપરાંત આ જ વર્ષમાં તે તત્ત્વબોધીની નામક પત્રિકામાં પણ પ્રકાશિત થયું હતું.

    ટાગોર સાહેબે આ ગીત ૨૭ ડિસેમ્બર , ૧૯૧૯ના રોજ આંધ્રપ્રદેશના મદનપલ્લી શહેર ખાતે આવેલ બેસન્ટ થીઓસોફિકલ કોલેજમાં રજૂ કર્યું હતું. ત્યાંના પ્રોફેસર ડૉ. કસિન્સની રિકવેસ્ટથી ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ ટાગોર સાહેબે આ ગીતનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું, જેનું શીર્ષક The Morning Song of India હતું.

    અંગ્રેજી અનુવાદ, રબિન્દ્રનાથ ઠાકુરના હસ્તાક્ષરમાં

    હવે વાત આવે છે વર્ષ : ૧૯૪૨ની.

    આ સમયમાં ભારત દેશની આઝાદી માટેની ચારેકોર તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં  તેના આઝાદ હિંદ ફોજના જવાનોને અંગ્રેજ વિરુદ્ધ લડવાની ઉગ્ર તાલીમ આપી રહ્યા હતા. તેઓને થયું કે – ફોજના જવાનોમાં જોશ વધારવા માટે તેમજ એક્તા લાવવા માટે એક દેશભક્તિ ગીતની ખાસ જરૂર છે, જે આ જવાનોમાં ભારત દેશની આઝાદી માટેની લડાઈમાં જોશ વધારી શકે તેમજ ભારતની એક્તા અને અખંડિતતા સમજાવી શકે.

    ૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૨માં જર્મનીનાં હેમ્બર્ગ ખાતે જર્મન – ઇન્ડિયન સોસાયટીના ઉદઘાટન વખતે ટાગોર સાહેબની આ રચના હેમ્બર્ગ રેડિયો સિમ્ફોની ઓર્કેસ્ટ્રા દ્વારા ઇન્સ્ટ્રમેન્ટલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ ગીતથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે – તેમણે તો એ જ દિવસે  આ સંસ્થામાં યોજાયેલ એક મીટીંગમાં આ ગીતને આઝાદ ભારતના રાષ્ટ્રગાન તરીકે જાહેર કરી દીધું હતું.

    આ ઉપરાંત તેમણે ટાગોર સાહેબના આ ગીત (જન ગણ મન…) ને લઈને તેની આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી – INA) માટેનું એક દેશભક્તિ ગીત હિન્દી અને ઉર્દૂ એમ બંને ભાષામાં રચવાનું નક્કી કર્યું. રાષ્ટ્રગાનના રૂપાંતરનું કામ તેમણે આઝાદ હિંદ ફોજના ઓફિસર : મુમતાઝ હુસૈન અને કર્નલ આબિદ હસન સફરાનીને સોંપ્યું હતું. વર્ષ : ૧૯૪૩માં રાષ્ટ્રગાનનું હિન્દીમાં રૂપાંતર થયું, જેનું શીર્ષક ‘શુભ સુખ ચૈન…’ હતું. INA ના કેપ્ટન રામસિંહ ઠાકુરે આ હિન્દી અનુવાદિત ગીતને મિલેટ્રી ધૂનમાં કમ્પોઝ કર્યું.

    વર્ષ : ૧૯૪૪ માં ફિલ્મ નિર્માતા બિમલ રોય એ તેની ફિલ્મ ‘ઉદયેર પથ્થે’ માં ટાગોર સાહેબનું ગીત ‘ભારતો ભાગ્યો બિધાતા’ ફીચર કર્યું હતું, ત્યારબાદ તેમણે વર્ષ : ૧૯૪૫  તેની આ જ ફિલ્મના હિન્દી વર્ઝન ‘હમરાહી’માં પણ ફરી એકવાર ટાગોર સાહેબનું આ ગીત મોટા પડદે રજૂ કર્યું હતું.

    હવે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વિદેશી સરકારો ત્યાંની ઇન્ડિયન એમ્બેસી સાથે ચર્ચાઓ કરી રહી હતી કે – આંતરરાષ્ટ્રીય સંમેલનો, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભારતીય તહેવારો, વાણિજ્યિક સંમેલનો – સમિટ વગેરેમાં ભારત દેશ તરફથી આ આઝાદ નવા ભારતને રજૂ કરતા એક રાષ્ટ્રગીતની જરૂર પડશે. એટલા માટે એ અંગે તેમણે આપણી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીને પૂછ્યું કે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો, સંમેલનો, મીટિંગોમાં ભારત તરફથી કયું ગીત રજૂ કરવામાં આવશે ?

    ૨૫ ઓગસ્ટ, ૧૯૪૮ની કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં ભારતના રાષ્ટ્રગાન અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. અને એસેમ્બલીમાં પંડિત જવાહરલાલ નહેરુએ જણાવ્યું કે – ‘જન ગણ મન… ‘ ગીત પહેલેથી જ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ દ્વારા એની અલગ ધૂનમાં દક્ષિણ પૂર્વ એશિયામાં (હેમ્બર્ગ – જર્મની) રજૂ થઈ ચૂક્યું છે અને ભારતમાં પણ આ ગીત અમુક હદ લોકપ્રિય બની ગયું છે.

    અને આખરે ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ યોજાયેલ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના છેલ્લા સેશનમાં એસેમ્બલીના પ્રેસિડેન્ટ અને આપણા નવા આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત ‘જન ગણ મન…. ‘ ગીતને ભારતનું ઔપચારિક રાષ્ટ્રગાન ~ રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું.

    વિશેષ બાબતો :- 

    – રાષ્ટ્રગાન અલ્હૈયા બિલાવલ રાગમાં સંગીતબદ્ધ કરવામાં આવેલ, જેમાં રવીન્દ્રનાથ ટાગોરની સાથે તેના પૌત્ર ભત્રીજા (grand nephew) દિરેન્દ્રનાથ ટાગોરે પણ પોતાનું યોગદાન આપ્યું હતું. દિરેન્દ્રનાથ ટાગોર એ સમયના એક મહાન સંગીતકાર હતા.

    – કોઈ રાજ્યમાં રાષ્ટ્રીય સ્તરનો પ્રોગ્રામ હોય અને એમાં જો રાષ્ટ્રપતિ આમંત્રિત હોય ત્યારે તેના આગમન અને વિદાય વખતે ધૂન વગાડવામાં આવે છે. –  રાષ્ટ્રગાન તરત નથી શરૂ કરી દેવામાં આવતું. રાષ્ટ્રગાન શરૂ થાય એ પહેલાં અમુક વિશેષ સંકેતો દ્વારા ઉદ્‍ઘોષ કરવામાં આવે છે, મ્યુઝિક બેન્ડ વગાડવામાં આવે છે. જેમ કે – રાષ્ટ્રગાન શરૂ થાય એ પહેલાં ધ્વજારોહણ કરનાર વ્યક્તિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, ૭ કદમનું માર્ચિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિંગુલ કે મૃદંગ ઢોલ વગાડવામાં આવે છે.

    – આ ઉપરાંત રાષ્ટ્રગાન નીચે મુજબના રાષ્ટ્રીય સ્તરના પ્રોગ્રામ – સમારોહમાં વગાડવામાં આવે છે :

      • સેનાની ત્રણેય પાંખોના જવાનોને વીરતા પુરસ્કાર કે ચક્ર એનાયત કરવાનું હોય ત્યારે.
      • રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ સમારોહમાં જેવા કે : પદ્મ પુરસ્કાર, ખેલરત્ન એવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ વગેરે.
      • કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સમારોહમાં રાજ્યપાલના આગમન સમયે તેમજ તેને સલામી આપતી વખતે.
      • પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની પરેડ વખતે.
      • કેન્દ્ર સરકાર દ્વારા માન્ય અન્ય રાજકીય કાર્યક્રમો ~ સમારોહમાં જેની માટે ભારત સરકારે વિશેષ આદેશ જાહેર કર્યો હોય.
      • આકાશવાણી પર જ્યારે રાષ્ટ્રપતિનો દેશજોગ સંદેશો પ્રસારિત કરવાનો હોય ત્યારે, એનો સંદેશ રજૂ કરતાં એકદમ પહેલા અને સંદેશ પૂર્ણ થયા પછી.
      • રાષ્ટ્રધ્વજને પરેડમાં લાવતી વખતે.
      • ભારતીય સેનાના રેજીમેન્ટને કોઈ નવું પ્રતીક એનાયત કરતી વખતે.
      • ભારતીય નૌ સેનામાં ધ્વજારોહણ વખતે.

    – વિદેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોગ્રામ, સંમેલન, સમારોહ, રમત વગેરે હોય ત્યારે, ભારતને પ્રસ્તુત કરવા માટે રાષ્ટ્રગાનની ધૂન વગાડવામાં આવે છે.

    – શાળા કોલેજોમાં પણ સવારની પ્રાર્થના ~ એસેમ્બલીમાં ગાવામાં આવે છે.

    – ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એવા –  રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ, બંધારણના સન્માન – અપમાન અંગે અમુક કાનૂની કાયદાઓ ઘડવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય ગૌરવ – અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧ની કલમ (કાનૂની જોગવાઇ) – ૩ મુજબ : ‘રાષ્ટ્રગાનના નિયમોનું પાલન ન કરવા પર તેમજ તેનું અપમાન કરવા પર સખત સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.’ અનુચ્છેદ 51 A (a) મુજબ દેશના મૂળભૂત કર્તવ્યો અંતર્ગત બંધારણનું પાલન કરવું, તેના આદર્શ – સંસ્થાઓ તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો એ ભારતના તમામ નાગરિકોની ફરજ છે.

    તો આ વાત હતી, આપણા ભારત દેશની મહિમા ગાતા એવા રાષ્ટ્રગાન અને તેની રોચક વાતો વિશે. ભારત દેશ કે જેને આપણે ભારતમાતા કહીએ છીએ, તો આપણું રાષ્ટ્રગાન એ ભારતમાતાની સ્તુતિ છે. રાષ્ટ્રગાન એ દેશનું સ્વાભિમાન, ઓળખ, હાર્દ સમાન હોય છે.

    જય હિંદ…. જય ભારત…..


    સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા – અનેક કલાકારો દ્વારા વિવિધ શાસ્ત્રીય રાગોમાં

    આ પહેલાં રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા – સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની વિદ્રોહ ગાથા માં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે વંદે માતરમનો એક કાવ્યમાંથી રાષ્ટ્ર ગીત તરીકેના ઉદયની રાજકારણીય તાણાવાણામાં વણાયેલ સંગીતમય વિદોહ ગાથાની વાત કરી હતી.

    હવે આગળ…..

    સંકલનઃ અશોક વૈષ્ણવ

    રાગ કંબવતીમાં  જયપુર – અત્રૌલી ઘરાના શૈલીની સટીક રાગદારીમાં મોગુબાઈ કર્ડીકર નું ૧૯૪૭માં રજૂ થયેલું સંસ્કરણ

    ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ‘વંદે માતરમ્’નાં પહેલાં બે પદને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાયું તે પછી ઑલ ઇન્ડીયા રેડીયો (હવે આકાશવાણી) એ દિવસની શરૂઆતમાં રજૂ થતાં સિગ્નેચર ટ્યુન પછી, ૬૫ સેક્ડમાં રેકર્ડ થયેલું વંદે માતરમના બે અંતરા રજૂ કરવાનું શરૂ કર્યું.

     

    ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ભારત સરકારે લીધેલ નિર્ણય અનુસાર આકાશવાણીએ વંદે માતરમના બધાં અંતરા આવરી લેતું સંસ્કરણ પંડિત ચંદ્રશેખર વાઝેના સ્વરમાં રાગ દેશમાં રજૂ કરવાનું શરૂ કર્યું છે.

    સ્વતંત્ર ભારતમાં ‘વંદે માતરમ્’  અનેક કલાકારો વિવિધ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરતા રહ્યા છે,

    પંડિત ભીમસેન જોશીએ સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતિના અવસરે સંસદના સેન્ટ્રલ હૉલમાં રાગ દેશમાં વંદે માતરમને રજૂ કરી સમગ્ર દેશને મંત્રમુગ્ધ કરી દીધેલ.

    સંગીતા કુટ્ટી કુલકર્ણીએ પણ રાગ દેશમાં વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ ગાયું છે.

    દરભંગા ઘરાનાના પંડિત પ્રેમ કુમાર મલિક દ્વારા રાગ દેશમાં –

    ભાર્ગવી વેંકટરામ રાગ દેશમાં મા ભારતીની સ્તુતિ સ્વરૂપે વંદે માતરમ રજૂ કરે છે –

    સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ્હની ઉજવણી સમયે વીણા સહસ્ત્રબુદ્ધે એ રાગ કાફીમાં કરેલી રજૂઆત –

    ભારતીય શાસ્ત્રીય ગાયન અને રૉક સંગીતનાં ફ્યુઝન સ્વરૂપે –

    વિવિધ નૃત્યકારો અને નૃત્ય અકાદમીઓએ પણ વંદે માતરમને શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપે રજૂ કરેલ છે. અહીં એકાદ ઉદાહરણો લીધેલ છે

    ડૉ. અંજના ઝા – કથક નૃત્ય

    પદ્મરંગ નૃત્ય અકાદમી દ્વારા ભરત નાટ્યમ નૃત્ય

    ચાની જણીતી બ્રાન્ડ ‘તાજ’એ ઉસ્તાદ અમજદ અલી ખાન અને તેમના પુત્રો અય્યાન અલી ખાન અને અમ્માન અલી ખાન પાસે સંતુર પર, સ્વાતંત્ર્યનો સ્વાદ એ ટૅગ લાઈન સાથે, વંદે માતરમને રજૂ કરેલ

    નેટ પર વધારે શોધખોળ કરતાં વંદે માતરમનાં શાસ્ત્રીય રાગોમાં થયેલ બીજાં કેટલાય સંસ્કરણો મળી શકશે. આપણે તો આટલાં આચમનથી વિરામ લઈએ.

    સ્વ્હાભાવિક રીતે વંદે માતરમને ફિલ્મોમાં શી રીતે રજૂ કરાયું હશે એ જાણવાની હવે ઉત્સુકતા થાય.

    તેની વાત હવે પછીના અંકમાં …..


    સંદર્ભ સ્ત્રોતઃ

    150 Years Of Vande Mataram’s Musical Odyssey: The Melody And Memory Of A Nation – by K Balakumar

    VandeMataram.com

    The Song of a Nation’s Spirit

    Vande Mataram: From Banned Protest Song to National Song, including the original Hindu ode to Ma Durga.

    તસવીર નેટ પરથી, તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી, તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

  • ૧૫ ઓગસ્ટ : મુક્તિ અને સ્વતંત્રતા સમજાવતો દિવસ !

    હરેશ ધોળકિયા

    મોટા ભાગે જેને “મોટા” દિવસો મનાય છે, તે બધા કોઈ એક વ્યક્તિ કે પ્રસંગને જ અનુલક્ષીને હોય છે. દાખલા તરીકે “ રામ નવમી.” તો રામનો જન્મ દિવસ. “બુદ્ધ પૂર્ણિમા” તો બુદ્ધનો દિવસ વગેરે. તે દિવસે કેવળ એક જ બાબતનો ઉત્સવ મનાય છે.

    પણ પંદરમી ઓગસ્ટ એક એવો દિવસ છે જે અનેક બાબતો સાથે સંકળાયેલ છે. મોટા ભાગના લોકો કદાચ તેને કેવળ “ભારતના સ્વાતંત્ર્ય દિવસ” તરીકે જ ઓળખે છે, પણ કેવળ એ જ નથી. તે જ દિવસે સમાનન્‍્તરે બીજી ઘટનાઓ પણ બની છે, પણ તે આ સ્વાતંત્ર્યની ઘટનામાં દબાઈ ગઈ છે. પણ જયારે આપણે આ દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, ત્યારે બાકીની ઘટનાઓને પણ યાદ કરીએ.

    હા, આપણો સ્વાતંત્ર્ય દિવસ અત્યંત મહત્વનો છે. બસો વર્ષની ગુલામી પછી મુક્તિ મળ્યાનો દિવસ છે તે. ૧૮૫૭થી ૧૯૪૭ – નેવું વર્ષ હજારો-લાખો લોકોએ અંગ્રેજ સરકાર સામે લડાઈ કરી, ક્યારેક કોઈએ શહીદી વહોરી, પછી આ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. આ નેવું વર્ષમાં પુષ્કળ મહાન લોકો આ દેશની ધરતી પર અવતર્યા. ૧૮૫૭ના નાના સાહેબ કે તાત્ય્યાતોપે કે લક્ષ્મીબાઈથી લઇ ૧૮૮૫મા શરુ થયેલ પુન: લડતના સુરેનદ્રનાથ બેનરજી કે રાજા રામમોહન રાયથી લઇ છેક ગાંધીજી, સુભાષ, સરદાર, નેહરુ, ભગતસિંહ જેવા એક એકથી ચડિયાતા લોકો આ દેશે આપ્યા જેનું પરિણામ આજના દિવસે આપણને સ્વતંત્રતા મળી. અને આ સમય દરમ્યાન માત્ર રાજકીય ક્ષેત્રે જ શ્રેષ્ઠ લોકો નથી આપ્યા, બધા જ ક્ષેત્રોમાં એક એકથી શ્રેષ્ઠ લોકો આવતા રહ્યા અને દેશનું ગૌરવ વધારતા રહ્યા.

    સ્વતંત્રતા માત્ર રાજકીય જ નથી મળી, હજારો વર્ષની માનસિક ગુલામીમાં પણ આ દિવસે ગાબડા પડ્યા હતાં. ખૂણામાં બેઠેલ તદન ગરીબ મનુષ્યે પણ આ દિવસે હાશકારાનો શ્વાસ લીધો હતો અને પ્રથમ વાર ઉજ્જવળ ભાવિનું સ્વપ્ન જોવાનું શરુ કર્યું હતું. ૧૯૪૭ના આ દિવસે ભારતના તેત્રીસ કરોડ લોકોએ શું અનુભૂતિ કરી હશે તેની કલ્પના પણ જો કરીએ, તો આભા જ થઇ જવાય. અને તે કલ્પના કરવાની આજે આપણામાં તાકાત પણ નથી, ( ગુગલ તે અનુભૂતિ ન કરાવી શકે !) કારણ કે આજે તો આપણને આ સ્વતંત્રતા “એ તો એમ જ હોય” ( ટેકન ફોર ગ્રાન્ટેડ) લાગે છે. તેની પાછળ રહેલ બલિદાન, ત્યાગ,  સમર્પણ વગેરેની કલ્પના પણ ન કરી શકીએ. આમ પણ જે સરળતાથી મળી જાય તેની ખાસ કિમત ન સમજાય.

    આજે આ દિવસ આપણા માટે “ આવો” જ છે. ઉજવણી છે, પણ કદર નથી !

    પણ, આગળ કહ્યું તેમ, આ દિવસ માત્ર સ્વતંત્રતા દિવસ જ નથી. આજે બીજા બે-ત્રણ બનાવો પણ બન્યા હતા, જે પણ આ સ્વતંત્રતા સાથે સંકળાયેલા હતા.

    ૧૯૪૨માં “હિન્દ છોડો” ચળવળ નિમિતે બધા નેતાઓને જેલ મળી હતી. તેમાં ગાંધીજીને પણ પુનાના આગાખાન મહેલમાં કેદ મળી હતી. તેમના સાથે જે સાથીઓ હતા, તેમાં તેમના મંત્રી મહાદેવભાઈ દેસાઈ પણ હતા. જેલમાં આવ્યા પછી એક જ અઠવાડીયા પછી આ મહેલમાં મહાદેવભાઈ દેસાઈનું મ્રત્યુ થયું હતું. ( ૧૫ ઓગસ્ટ, ૧૯૪૨) મહાદેવભાઈ દેસાઈ વિષે લખવું હોય તો હજારો પાનાં ઓછા પડે. ગાંધીજીના હનુમાન જ હતા. ગાંધીજીના શબ્દોમાં “તેમના ગળે લટકીને નિરાંતે સુઈ શકાય” એવા. ગાંધીજી જેવા કઠોર તપસ્વી જેના પર આંધળો વિશ્વાસ મૂકી શકે તે કેવા હશે ! તેમની ડાયરીઓ વાંચીએ તો તેમની મહાનતાનો ખ્યાલ આવે.

    તો આજના જ દિવસે, ૧૮૭૫માં, ભારતના મહાન ક્રાંતિકારી અને તેનાથી પણ મહાન યોગી એવા મહર્ષિ શ્રી અરવિંદ જન્મ્યા હતા. અત્યંત તેજસ્વી પ્રજ્ઞા, અદભુત કવિ અને વિચારક, ગાંધી પહેલાના સમયના તિલક જેવા જ ક્રાંતિકારી, અને સમય જતા પ્રાચીન ઋષિ પતંજલિથી પણ મહાન યોગી શ્રી અરવિંદ હતા. રામાયણ અને મહાભારત પછી કોઈ ત્રીજું મહાકાવ્ય લખાયું હોય તો તે શ્રી અરવિંદનું મહાકાવ્ય “ સાવિત્રી” છે. અંગ્રેજીમાં લગભગ ૨૩,૦૦૦ પંક્તિનું આ મહાકાવ્ય વાંચીને જગતના વિચારકો ચકિત થયા છે અને આજે પણ થાય છે. તેમના પોન્ડીચેરીમાં આવેલ સાધના સ્થળ “ શ્રી અરવિંદ આશ્રમ”માં આજે પણ જઈએ તો એક કલ્પનાતીત ગાઢ શાંતિનો અનુભવ થાય છે.

    તેમણે રચેલું “ ઓરોવીલા” નગર જગતનું એક માત્ર વૈશ્વિક નગર છે. સદ્‍ભાગી હોઈએ તો તેમના પુસ્તક “ લાઈફ ડીવાઇન “ કે “ એસેઝ ઓન ગીતા” વાંચવાનો પરમ આનંદ મળે. તેમણે ભલે થોડા જ વર્ષ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો, પણ તે સમય અત્યંત રોમાંચક હતો. ત્યારના હજારો યુવાનો તેમના પાછળ પાગલ હતા. તેમનાથી અંગ્રેજ સરકાર ભયંકર ડરતી હતી. પળે પળ જેલમાં પુરવા થનગનતી હતી. અને છતાં અનેક અંગ્રેજો તેમનું અંગ્રેજી સાંભળી લઘુતાગ્રંથી અનુભવતા હતા કે આવું અંગ્રેજી તો તેમને પણ નહોતું આવડતું. અલીપોરની જેલમાં તેમને ભગવાન કૃષ્ણના દર્શન થયા તે બાબતે તેમણે ઉતરપાડામાં જે પ્રવચન આપ્યું હતું, તે આજે પણ વાંચીએ તો ગળગળા થઇ જવાય. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના ઉતુંગ શિખર જેવા વ્યક્તિ એટલે આ શ્રી અરવિંદ. ૧૫મી ઓગસ્ટ તેમને મેળવીને ધન્‍ય થઇ છે એમ કહી શકાય.

    અને ૧૮૮૬ની પંદરમી ઓગસ્ટ જયારે પૂરી થતી હતી, ત્યારે, લગભગ રાત્રે એક વાગ્યા આસપાસ ભારતના જ નહિ, પણ જગતના એક કલ્પનાતીત અદભુત મહાપુરુષે છેલ્લા શ્વાસ છોડયા અને અનંતમાં ભળી ગયા. એ હતા રામકૃષ્ણ પરમહંસ. એક ધર્મની અનુભૂતિ કરનારા મહાન લોકો હજારો થયા છે, પણ મહત્વના બધા જ ધર્મોનો સાક્ષાત્કાર કરનાર કોઈ હોય તો તે કેવળ આ રામકૃષ્ણ પરમહંસ જ છે. હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, કૃષ્ણ, રામ, અદ્વૈત – બધા જ ધર્મો, પંથોના સત્યની તેમણે અનુભૂતિ કરી હતી. જગતના ઈતિહાસમાં આવા અનુભૂતિ કરનાર કેવળ તેઓ એક જ છે. “બધા ધર્મોનું સત્ય એક જ છે” એ તેઓ સ્વ-અનુભૂતિથી કહી શકતા હતા. અને એટલે તેમણે આ સંદેશ પ્રસરાવવા પોતા જેવા જ અદભુત અને પ્રખર શિષ્ય સ્વામી વિવેકાનંદ જગતને આપ્યા. સ્વામીજીએ અમેરિકા સહીત સમગ્ર પશ્ચિમને અદ્દેતના સંદેશથી જાગૃત કર્યું.

    ભૌતિકવાદથી ખળભળતાં અને તરફડતાં અમેરિકાને સ્વામીજીના સંદેશાથી અચાનક ઝાટકો લાગ્યો અને જાગી ઉઠ્યું કે ઓહો ! સ્થૂળ જગતથી પણ એક ઉચ્ચ જગત છે. અમેરિકામાં સ્વતંત્રતાની અને ઔદ્યોગિક ક્રાંતિ પછી “ચેતનાની ક્રાંતિ” વિવેકાનંદે કરી. પણ તેમને આ શક્તિ તેમના ગુરુએ આપી હતી જેમણે ૧૫મી ઓગસ્ટની પૂર્ણાહુતિની થોડી જ ક્ષણો પછી વિદાય લીધી હતી. એટલે આ દિવસ આ કારણે પણ પવિત્ર છે.

    આપણે તો કેવળ રાજકીય સ્વતંત્રતા ઉજવીએ છીએ, પણ બાકીના લોકોના કારણે આપણી ચૈતસિક સ્વતંત્રતા સ્વચ્છ રહે છે. તેમના કારણે આપણને “ સાચું સ્વરાજ્ય” મળે છે. આ દિવસે આપણને રાજકીય સ્વતંત્રતા આપી અને આ દિવસના આ મહાપુરુષોએ આપણને “મુક્તિ”ની સમજ આપી છે. બંને જરૂરી છે. મુક્તિ જીવશે તો જ રાજકીય સ્વતંત્રતા સમજાશે.

    આ બધાને આ પરમ પવિત્ર દિવસે વંદન કરીએ.


    ( કચ્છમિત્ર : તા: ૧૫-૮-૨૬ : શનિવાર)


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • સાચું નમ્યાં આજે ફરી

    દેવિકા રાહુલ ધ્રુવ

    ‘આઝાદી’ શબ્દની સાથે જ ભારત સ્વતંત્ર થયા પહેલાંનાં ઈતિહાસનાં વાંચેલાં પાનાંઓ નજર સામે ફરફરે છે તો વડિલોના મુખેથી સાંભળેલ કારમા દૄશ્યો પણ ખડાં થાય છે. આઝાદી પછીના ચઢાવ ઉતરાવના તો આપણે પણ સાક્ષી છીએ. એ વિશે ઘણું બધું કહી શકાય. પણ ગૌરવની વાત તો એ છે કે વિશ્વભરમાં, વિવિધ ક્ષેત્રે, વિવિધ રીતે પ્રગતિ કરીને ભારતીયોએ દેશનું નામ રોશન કર્યું છે. અને એ જ સાચો ઉત્સવ છે.

    પ્લસ અને માઈનસ તો બધે જ છે, બધામાં જ છે. આમ છતાં આ એક હકીકત છે કે, વિદેશમાંરહેતા અમારા જેવા મૂળ ભારતીયો,સમયનેઅભાવેભલેપીઝા, પીટાકેનાનથીટેવાયાં હોઈએ,ભલે ‘ જેવોદેશતેવોવેશ ’ એન્યાયેપહેરવેશમાંફેરફારકર્યોહોય, પણપ્રત્યેક ભારતીય વ્યક્તિ વતનનીપ્યાસીછે.  પરદેશમાં પણ આજની ઊગતી પેઢીની સાથે રહીને ભારતનાં દરેકતહેવારોમસ્તીથીઉજવેછે. હિંદુસ્તાનનીવાનગીઓમનભરીનેમાણેછે. હા, નવોસમયછે, નવીપાંખછે, નવાઉમંગોછે, નવોમલકાટછે. એટલેરીતોપણ નવી છે, પણકર્મભૂમિનાઆદરસાથેપણદિલતોમાતૃભૂમિને જ નમે છે.

    આજે જ્યારે ઠેર ઠેર આઝાદીની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ‘આઝાદી’ની પહેલાં અને પછી પણ કુરબાની આપેલ વીરોને તો કેમ ભૂલાય?

    એ તમામ શહીદોની યાદમાં પ્રસ્તુત છેઃ

    ‘ મેરે વતનકે લોગ’ ના નારા, ઊઠ્યા આજે ફરી,
    કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી.

    રુધિરથી લથબથ થતી લાશો નજર સામે ફરી,
    કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી.

    પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
    એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી.

    વર્ષો જૂની એ વીરતાને પૂછતી રંગીન ધજા,
    ક્યાં કોણ છે આઝાદ? સો પ્રશ્નો ફૂટ્યા આજે ફરી.

    રાતો ગઈ, વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
    ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.

    — આઝાદીના આ પર્વના ગર્વ સાથે સૌ દેશપ્રેમીઓને

    જયહિંદ.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com